Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજુલામાં ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજુલામાં ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Sanjog News 1 week ago

ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા આયોજિત સમસ્ત બાબરિયાવાડ પ્રજાપતિ સમાજનો ૨૯ મો ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમ ડો. મેહુલભાઈ ટાંકના અધ્યક્ષ સ્થાને માધવ ફાર્મ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો, આમંત્રિત મહેમાનો, દાતાઓ અને સમસ્ત બાબરીયાવાડ પ્રજાપતિ સમાજના ૧૦૦૦ થી વધુ ભાઈઓ બહેનો હાજરી આપી હતી. ધોરણ ૧ થી ૧૨ તથા ડિગ્રી કોર્સના ૩૫૦ થી વધારે વિદ્યાર્થીઓને ઇનામ અને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ ભોજન સમારંભના દાતા ઘનશ્યામભાઈ પરમારના માધવ ફાર્મમાં રાખેલું જેમાં પ્રમુખ પરેશભાઈ પરમાર શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્ઞાતિની બાળાઓ સ્વાગતગીત અને રાસ રજુ કર્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળના બધા સભ્યો ખૂબ જહેમત ઉઠાવ્યા હતા. અંતમાં મંત્રી મહેશભાઈ વાઘેલા આભાર માનીને કાર્યક્રમ પૂરો કર્યો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News