Dailyhunt
સાવરકુંડલામાં ટીટોડીએ જમીન પર ઈંડા મુકતા ઓછા વરસાદનો વરતારો

સાવરકુંડલામાં ટીટોડીએ જમીન પર ઈંડા મુકતા ઓછા વરસાદનો વરતારો

Sanjog News 2 weeks ago

ગુજરાતી લોકજીવનમાં કુદરતી સંકેતો દ્વારા વરસાદની આગાહી કરવાની વર્ષો જૂની પરંપરા છે. તાજેતરમાં સાવરકુંડલાના જનતા બાગમાં એક ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા હોવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય લોકવાયકા મુજબ ટીટોડી જો ઊંચા સ્થાને ઈંડા મૂકે તો વરસાદ પુષ્કળ થાય છે, પરંતુ જો તે જમીનના લેવલ પર ઈંડા મૂકે તો વરસાદ ઓછો પડવાની શક્યતા રહેલી હોય છે.

એવું મનાય છે કે કુદરત પક્ષીઓને પૂરના પાણી સામે રક્ષણ આપવા અગાઉથી જ નિર્દેશ આપે છે અને ટીટોડીના ઈંડા ક્યારેય પાણીમાં તણાતા નથી. આ વખતે સાવરકુંડલામાં ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા હોવાથી સ્થાનિક ખેડૂતો અને જ્યોતિષીઓ વરસાદ ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News