Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં આવ્યા

Tej Gujarati 2 days ago

સાગબારાના જંગલ જમીન ધરણાના 15માં દિવસે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં આવ્યા

લીલા વસાવાની તબિયત બગડતા તપાસ ની સૂચના આપી

આરોગ્ય વિભાગ દ્વારા તમામ નું મેડિકલ ચેકપ કરવામાં આવ્યું

રાજપીપલા, તા 22

સાગબારાના જંગલ જમીન ધરણા નો આજે 15 મો દિવસ છે.15 માં દિવસે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થન માં ઉતર્યા.

આજે ડો.દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગને લીલા વસાવાની તબિયત બગડતા તપાસ ની સૂચના આપતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ નું મેડિકલ ચેકપ કરવામાં આવ્યું

સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક-અધિકારને લઈને ચાલી રહેલા ધરણા આંદોલનનો આજે 15 મો દિવસ છે. સતત 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા આગેવાન લીલાબેન વસાવાની 13મા દિવસે તબિયત લથડતા તમામ લોકો ચિંતામાં હતા અને સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા વારંવાર લીલા વસાવાની તબિયત અંગે આરોગ્ય વિભાગ ને સૂચના આપી હતી પરંતુ ઉમરપાડા ના આરોગ્ય વિભાગે કોઈ આ અંગે કારજી ન લેતા આખરે બન્ને નેતાઓ એ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ને સૂચના આપી અને આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી અને લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું હતું. ટીમ દ્વારા તેમની તબિયત અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા 15 દિવસથી જંગલ જમીનના હકના મુદ્દે ખેડૂતો અને આદિવાસી આગેવાનોનું ધરણું યથાવત છે. આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે.જોકે આજે ફરી ધારાસભ્ય દર્શના દેશમુખ આ ધરણા પર બેઠેલા આદિવાસી સાથે સમર્થન માં ઉતાર્યા છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tej Gujarati