Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચોમાસામાં મળતું આ શાક છે 'સુપરફૂડ': ડાયાબિટીસથી લઈને હાર્ટ સુધીના અનેક રોગો માટે છે રામબાણ ઇલાજ

ચોમાસામાં મળતું આ શાક છે 'સુપરફૂડ': ડાયાબિટીસથી લઈને હાર્ટ સુધીના અનેક રોગો માટે છે રામબાણ ઇલાજ

Trishul news 5 days ago

Trishul News Gujarati

Kantola Benefits:વરસાદની શરૂઆત થતાં જ બજારમાં કંટોલા દેખાવા લાગે છે. ઘણા લોકોનું આ ફેવરિટ શાક છે, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. જો કે, કંટોલાના શાક સાથે છાસ (Kantola Benefits)પીવાથી તેનો સ્વાદ થોડો કડવો જરૂર લાગે છે, પરંતુ હેલ્થની દ્રષ્ટિએ આ શાકભાજી સુપરફૂડથી કમ નથી. આયુર્વેદ અને વિજ્ઞાન બંનેમાં તેના અનેક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે.

પોષક તત્વોનો ખજાનો
કંટોલા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન B12, વિટામિન D અને વિટામિન C જેવા જરૂરી વિટામિન્સ ઉપરાંત કેલ્શિયમ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનિજો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરીને ચોમાસાની ઋતુમાં થતી સીઝનલ બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે; 100 ગ્રામ કંટોલામાંથી શરીરને માત્ર 17 કેલરી જ મળે છે.

ડાયાબિટીસ કંટ્રોલ અને વજન ઘટાડવામાં રામબાણ
આજના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા છે, ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે કંટોલા કુદરતી દવા જેવું કામ કરે છે. તેનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શુગરના લેવલને કાબૂમાં રાખે છે. વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ શાક બેસ્ટ છે, કારણ કે તેમાં રહેલું હાઈ-ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.

બ્લડ પ્રેશર અને હૃદય માટે વરદાન
કંટોલામાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને રક્તવાહિનીઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે, જેથી હાઈ બીપી અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટે છે. આ ઉપરાંત, તેમાં રહેલું 'લ્યુટીન' નામનું તત્વ હૃદયની બીમારીઓ અને કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપે છે.

પથરી અને પાઇલ્સની સમસ્યામાં રાહત
કિડનીની પથરીથી પરેશાન દર્દીઓ માટે કંટોલા ખૂબ ગુણકારી છે. તેના બીજ અથવા પાવડરનું દૂધ કે પાણી સાથે સેવન કરવાથી પથરી ઓગળવામાં મદદ મળે છે. તેવી જ રીતે, કંટોલામાં રહેલું પુષ્કળ ફાઈબર અને પાણી પાચનતંત્રને સુધારે છે, જે પાઇલ્સ (બવાસીર) ની સમસ્યામાં મોટી રાહત આપે છે. પાઇલ્સના દર્દીઓ તેના પાવડરનું પાણી સાથે સેવન કરી શકે છે.

આંખો, ત્વચા અને વાળની સુંદરતા વધારે
આંખોની રોશની: કંટોલામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની દ્રષ્ટિ તેજ રાખવામાં મદદરૂપ છે.

વાળ ખરતા અટકે: પ્રદૂષણને કારણે જો વાળ ખરતા હોય, તો કંટોલાના મૂળને ઘસીને તેની પેસ્ટ માથામાં લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે.

ગ્લોઇંગ સ્કીન: તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને અંદરથી હેલ્ધી રાખે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post ચોમાસામાં મળતું આ શાક છે 'સુપરફૂડ': ડાયાબિટીસથી લઈને હાર્ટ સુધીના અનેક રોગો માટે છે રામબાણ ઇલાજ appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews