આમ આદમી પાર્ટી (AAP) એ તેના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી હટાવી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાઘવની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ બાદ એવી અટકળો તેજ થઈ છે કે રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે.આતિશીએ કર્યા આકરા પ્રહારદિલ્હી વિધાનસભાના નેતા વિપક્ષ આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધ્યું છે.
રાઘવ ચઢ્ઢાનો પલટવારબીજી તરફ, રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે કહ્યું કે, "શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? એરપોર્ટ પર મોંઘા ખોરાક, ડિલિવરી બોય્ઝની સમસ્યા કે મધ્યમ વર્ગ પર ટેક્સના બોજ જેવા મુદ્દા ઉઠાવવાથી પાર્ટીને શું નુકસાન થયું? આમ આદમી પાર્ટી રાજ્યસભાના સચિવાલયને પત્ર લખીને મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે."
રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેની આ ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. એક સમયે પાર્ટીના પોસ્ટર બોય ગણાતા રાઘવ ચઢ્ઢાના આ તેવર સૂચવે છે કે AAP માં બધું બરાબર નથી અને આગામી દિવસોમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે.

