ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 72 કલાક માટે મહત્વની આગાહી કરી છે. છત્તીસગઢમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતના અંદાજે 50% ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં પૂર્વ ગુજરાતના વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘકહેરની ચેતવણીઆગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક બની શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ શકે છે, તેથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
14 જુલાઈ પછી ફરી બદલાશે વાતાવરણહવામાન નિષ્ણાંતના મતે, 10 થી 11 તારીખ દરમિયાન રાજ્યમાં થોડો વરાપ જોવા મળી શકે છે, પરંતુ 7 જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે મિશ્ર પરિણામ લાવી શકે છે. ત્યારબાદ 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા 16 થી 20 જુલાઈ દરમિયાન ફરી વરસાદનું જોર વધશે. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં અણધારિયો વરસાદ થવાની શક્યતા છે, જે ખેડૂતો માટે મહત્વની સાબિત થઈ શકે છે. હાલમાં તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

