ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટી એ બુધવારે પક્ષનાં દિગ્ગજ નેતા જનેશ્વર મિશ્રની જયંતી પર યોજેલ પ્રબુદ્ધ સંમેલનમાં સ્પષ્ટ સંકેત આપ્યો કે- આ વખતે તેમની નજર ભાજપની કોર વોટબેંક પર છે. હવે સવાલ ઉઠી રહ્યાં છે કે- શું સમાજવાદી પાર્ટી 100 વિધાનસભા બેઠકો પર અસર નાંખનાર બ્રાહ્મણ મતોમાં ભાગલા પાડવામાં સફળ રહેશે?
પીડીએની ભાષા બદલાઈઅખિલેશે કહ્યું કે,'લોકો પીડીએની વાત કરે છે. પીડીએની નવી નવી વ્યાખ્યા ઉપજાવે છે. જ્યારથી પીડીએ સામે હાર્યા છે. ત્યારથી પીડીએની નવી વ્યાખ્યા ઘડવામાં આવી રહી છે. પીડીએમાં પીડી પંડિતનો જ શૉર્ટફોર્મ છે. જેટલી પીડા આપશો અને વધારશો. પીડીએ એટલું જ મજબૂત થશે.'
યુપીમાં બ્રાહ્મણોનું ગણિતસમાજવાદી પાર્ટી બ્રાહ્મણ મતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતના રાજકીય ઇતિહાસમાંથી પહેલી હકીકત એ છે કે બ્રાહ્મણોને કોંગ્રેસની મુખ્ય વોટબેંક માનવામાં આવતી હતી. અત્યાર સુધી ઉત્તર પ્રદેશના 6 મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ રહ્યાં છે, અને તે બધા કોંગ્રેસ પક્ષનાં હતા. બ્રાહ્મણોએ 23 વર્ષ સુધી ઉત્તર પ્રદેશ પર શાસન કર્યું. આઝાદી પછી, રામ મંદિર આંદોલન સુધી બ્રાહ્મણો મોટાભાગે કોંગ્રેસ સાથે રહ્યા. ઉત્તર પ્રદેશના છેલ્લા બ્રાહ્મણ મુખ્યમંત્રી કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી હતા.યુપીમાં જે પક્ષ પાસે બ્રાહ્મણ ધારાસભ્યો વધુ રહ્યાં સત્તા તેની પાસે જ રહી. 2007માં માયાવતી પાસે 41 બ્રાહ્મણ ધારાસભ્ય હતા. 2012માં અખિલેશ સરકારમાં 21 બ્રાહ્મણ ધારાસભ્ય હતા. 2017માં યોગી સરકારમાં 58 ધારાસભ્ય અને 2022થી અત્યારની યોગી સરકારમાં 41 બ્રાહ્મણ ધારાસભ્ય રહ્યાં છે.

