અમિત રાય, મુંબઇમુંબઈમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ ડબ્બાવાળા સંગઠને સુરક્ષાના કારણોસર આજે એટલે કે 6 જુલાઈ, 2026ના રોજ પોતાની સેવાઓ સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે.
રેલવે સેવાઓ અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીમાત્ર ડબ્બાવાળાના ઘરો જ નહીં, પરંતુ મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર પણ પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ રેલવે (Western Railway) પર અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો રદ કરવામાં આવી છે. ડબ્બાવાળા જેઓ મુંબઈની લાખોની જનતાને સમયસર ભોજન પહોંચાડવા માટે લોકલ ટ્રેનો પર નિર્ભર હોય છે, તેમના માટે આ પરિસ્થિતિમાં ટિફિન પહોંચાડવું લગભગ અશક્ય બની ગયું હતું. સેવા પ્રભાવિત ન થાય અને ગ્રાહકોને ખોટી રાહ ન જોવી પડે તે માટે અગાઉથી જ સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
125 વર્ષની પરંપરા અને સુરક્ષાડબ્બાવાળાઓનો 125 વર્ષ જૂનો ઈતિહાસ છે અને તેઓ પોતાની સમયબદ્ધતા માટે જાણીતા છે, પરંતુ આટલા વર્ષોમાં પણ તેમણે જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે ગ્રાહકોના હિત અને કર્મચારીઓની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. સંગઠને તમામ ગ્રાહકો પાસે આ અસુવિધા બદલ માફી માંગી છે. હાલના વરસાદના સંજોગોને જોતા સાવચેતીના પગલા રૂપે લેવાયેલો આ નિર્ણય અત્યંત જરૂરી હોવાનું સંગઠને જણાવ્યું હતું. આવતીકાલે સ્થિતિ સુધર્યા બાદ સેવાઓ ફરી શરૂ કરવા અંગે અપડેટ આપવામાં આવશે.

