પરિમલ મકવાણા, નવસારીદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પૂર્ણા નદીમાં જળસ્તર વધતા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે.
1000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતરપૂર્ણા નદીના કાંઠા પર આવેલા અંદાજે 15 જેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
1000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતરપૂર્ણા નદીના કાંઠા પર આવેલા અંદાજે 15 જેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
વહીવટીતંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની અને નદીના જળસ્તર પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.

