મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વિશ્વભરમાં ઇંધણનું સંકટ ઘેરું બન્યું છે. આ વૈશ્વિક સંકટની સીધી અસર પાકિસ્તાન પર પણ પડી છે. પેટ્રોલ, ડીઝલ અને LPGની ભારે અછતને પહોંચી વળવા માટે શાહબાઝ શરીફ સરકારે દેશભરમાં 'સ્માર્ટ લોકડાઉન' જેવા કડક પગલાં લાગુ કરવાની જાહેરાત કરી છે.
રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગો પર પણ કાપઊર્જા બચાવવા માટે સરકારે ખાણી-પીણીની દુકાનો અને લગ્ન હોલ પર પણ નિયંત્રણો મૂક્યા છે. બેકરી, રેસ્ટોરન્ટ અને તંદૂર રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. તો લગ્ન હોલ અને ટેન્ટ સર્વિસ પણ રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અંગત મિલકતો પર પણ રાત્રે 10 પછી લગ્ન સમારોહ યોજવા પર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ દવાખાના અને ફાર્મસીઓને આ સમયમર્યાદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
સામાન્ય જનતા માટે રાહતના પગલાંઇંધણના ભાવવધારા અને અછત વચ્ચે સરકારે કેટલીક રાહતો પણ જાહેર કરી છે. ગિલગિત અને મુઝફ્ફરાબાદમાં એક મહિના માટે આંતર-શહેરી પરિવહન મફત કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આ ઉપરાંત, ડિજિટલ વોલેટ સબસિડી યોજના હેઠળ પેટ્રોલિયમ પેદાશોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની રાહત ચાલુ રાખવામાં આવી છે.
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે 28 ફેબ્રુઆરીથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે, જેના કારણે દક્ષિણ એશિયાના દેશોમાં સ્થિતિ વણસી રહી છે.

