ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વિશાખાપટ્ટનમ ખાતે અત્યાધુનિક સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'INS તારાગિરી'ને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. પૂર્વ નૌકા કમાન્ડના ડોકયાર્ડ પર આયોજિત ભવ્ય સમારોહમાં આ યુદ્ધજહાજને કાર્યરત (કમિશન) કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત આ ચોથું યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
કમિશનિંગ સમારોહ દરમિયાન રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે, INS તારાગિરી ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. આ જહાજમાં 75% થી વધુ સાધન-સામગ્રી સ્વદેશી છે, જે ભારતીય ઉદ્યોગો અને ખાસ કરીને 200 થી વધુ MSMEsના સહયોગથી બનાવવામાં આવી છે. રક્ષામંત્રીએ આ પ્રસંગે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન પર ભાર મૂકતા કહ્યું કે, ભારત હવે માત્ર જહાજોનું નિર્માણ જ નથી કરી રહ્યું પરંતુ વિશ્વ કક્ષાની નૌકા શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.
આ નવા જહાજનું નામ ભારતીય નૌકાદળના જૂના લિએન્ડર ક્લાસ ફ્રિગેટ 'તારાગિરી' પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1980 થી 2013 સુધી દેશની સેવા કરી હતી. ઉત્તરાખંડની પર્વતમાળાઓના નામ પરથી ઓળખાતું આ નવું INS તારાગિરી ગતિ અને સહનશક્તિ (High Speed and High Endurance) ના સમન્વય સાથે ભારતીય નૌકાદળના 'બ્લુ વોટર નેવી' બનવાના સંકલ્પને વેગ આપશે. આગામી સમયમાં આ ફ્રિગેટ માત્ર સંરક્ષણ જ નહીં પરંતુ માનવીય સહાય અને આપત્તિ રાહત કાર્યોમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
Follow TV13 Gujarati on Social Media:----------------Website: https://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/YouTube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter: https://x.com/tv13gujaratiInstagram: https://instagram.com/tv13gujaratiLinkedIn: https://www.linkedin.com/company/9095...WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2UWhatsApp Group: https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB

