Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોમનાથમાં ઉમટ્યો  શિવભક્તોનો  સાગર: શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવના દર્શન કરવા વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભીડ

સોમનાથમાં ઉમટ્યો શિવભક્તોનો સાગર: શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવના દર્શન કરવા વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભીડ

શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના શરણોમાં ભાવિકોનું ઘોડાપૂર પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પવિત્ર દિવસે શિવભક્તો સોમવારનું વ્રત રાખીને ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું સમગ્ર મંદિર પરિસર ભક્તોના ઉત્સાહ અને આસ્થાને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના દિવ્ય જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી વાતાવરણ સંપૂર્ણ શિવમય બન્યું હતું.

દર્શનાર્થીઓ માટે સોમનાથ ટ્રસ્ટનું સુચારુ આયોજન ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા તથા અન્ય સુવિધાઓનું કડક આયોજન કરવામાં આવ્યું છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati