Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરામાં માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવોમાં વધારો

વડોદરામાં માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવોમાં વધારો

વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે.
આ સ્થળો ઉપર રસ્તાની વચ્ચે ગાયોનું ટોળુ અડીંગો જમાવીને બેસી જાય છે, તેના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેથી વાઘોડિયા નગરમાં કાયદાનો અમલ કરાવી રખડતાં પશુઓને પકડી પાંજરે પૂરવા નગરજનોની માગ કરાઈ રહી છે.રાત્રિના સમયે જોખમ: રાત્રે અથવા વહેલી સવારે રોડ ડિવાઈડર પાસે અચાનક પશુઓ આવી જતાં વાહનચાલકો વાહન પરનો કાબૂ ગુમાવે છે અને ડિવાઈડર સાથે અથડાય છે.ટ્રાફિક જામ અને અડચણ: શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને બ્રિજ પર પશુઓ ઝુંડમાં બેસતા હોવાથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati