Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા કાઠિયાવાડ પ્રવાસનું પ્રસ્થાન..

શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા કાઠિયાવાડ પ્રવાસનું પ્રસ્થાન..

શ્રી ચામુંડા ટ્રાવેલ્સ રાધનપુર દ્વારા કાઠિયાવાડ પ્રવાસનું પ્રસ્થાન.

રાધનપુર તાલુકાના પોરાણા ગામ ના રાવળદેવ બલાભાઈ પોતાની શ્રીચામુંડા ટ્રાવેલ્સ દ્વારા નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કાઠિયાવાડ યાત્રા પ્રવાસ નું સુંદર આયોજન કરે છે ત્યારે આજરોજ બુધવાર ને પાંચમી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાધનપુર થી જય દ્વારિકાધીશના જયઘોસ સાથે યાત્રા પ્રવાસનું પ્રસ્થાન કરે જે ગુરૂવારના રોજ સવારે દ્વારિકા પહોંચી દ્વારિકાધીશ ના દર્શન કરી બેટ દ્વારકા,નાગેશ્વર, સુદર્શન સેતુ, ભીમરાણા,સોમનાથ,જૂનાગઢ,ગીરનાર, સક્કર બાગ,ઉપરકોટ,કાગવડ, વીરપુર વગેરે સ્થળે ફરી ચોટીલા ધામે શ્રીચામુંડા માતાજીના દર્શન કરી રાધનપુર પરત ફરશે.યાત્રા પ્રવાસમાં કોઈને તકલીફ ના પડે તે માટે નિલેશભાઈ પ્રજાપતિ રાધનપુર,વિનોદભાઈ ઠાકોર પોરાણાવાળા ખડે પગે પરિશ્રમ કરી રહ્યા છે.

નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vatsalyam Samachar