Dailyhunt
જાહેર સ્થળો પર નમાજની મંજુરી નહિ...સરકારને દખલગીરી કરવાનો અધિકાર, ઈલાહાબાદ કોર્ટનો મોટો નિર્ણય

જાહેર સ્થળો પર નમાજની મંજુરી નહિ...સરકારને દખલગીરી કરવાનો અધિકાર, ઈલાહાબાદ કોર્ટનો મોટો નિર્ણય

Namaz in Open Spaces ban

Allahabad High Court on Namaz: અલ્હાબાદ હાઈકોર્ટે ખુલ્લી જગ્યાઓ (જાહેર સ્થળો) માં નમાજ પઢવાની પ્રથા અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જાહેર જગ્યાઓ દરેકની છે અને ધાર્મિક સ્વતંત્રતાના નામે તેનો કબજો લેવાની મંજૂરી આપી શકાતી નથી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે જાહેર જમીનની વાત આવે છે, ત્યારે પરિસ્થિતિ સ્પષ્ટ છે.

જાહેર જમીન દરેકની છે અને કાયદા દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ વ્યક્તિ નિયમિત ધાર્મિક સમારોહ માટે તેનો ઉપયોગ કરવાનો દાવો કરી શકતું નથી. કોર્ટે કહ્યું હતું કે બંધારણીય સમાજમાં, સ્વતંત્રતા હંમેશા અન્ય લોકો પ્રત્યે જવાબદારી સાથે આવે છે.

ઉલ્લેખનીય છે કે સંભલમાં વસ્તીવાળી જમીનના એક ભાગમાં ખાનગી પરિસરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગતી અરજીની સુનાવણી કરતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટે અરજીને ફગાવી દેતા, પોતાના નિર્ણયમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી.

"રાજ્યની જવાબદારી છે કે તે બધા માટે જાહેર સ્થળોએ સમાન પ્રવેશ સુનિશ્ચિત કરે"

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવા ઉપયોગથી હિલચાલ, સુલભતા અને સુરક્ષા પર અસર પડે છે, અને યોગ્ય સંજોગોમાં, સામાજિક સંતુલન પણ પ્રભાવિત થાય છે. તેથી, તેનું નિયમન થવું જોઈએ. સમાન પ્રવેશ, નાગરિક વ્યવસ્થા અને ભેદભાવ રહિત વહીવટ સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યની છે.

જાહેર મિલકત પર કોઈનો ઈજારો ન હોઈ શકે: હાઈકોર્ટ

કોર્ટનું અવલોકન સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારને જાહેર સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હસ્તક્ષેપ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે જાહેર જમીન પર કોઈ એક પક્ષનો ઈજારો ન હોઈ શકે અને તેના પર બધા નાગરિકોનો સમાન અધિકાર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati